Select Page

ખેરાલુ વન મહોત્સવમાં નકલી તુલસીનો છોડ પધરાવ્યો

ખેરાલુ વન મહોત્સવમાં નકલી તુલસીનો છોડ પધરાવ્યો

ગુજરાત રાજ્યના વિકાસને નકલીનું ગ્રહણ લાગ્યુ છે દર વર્ષે આવા નકલી કૌભાંડો ઉભા થાય છે. લોકો સાથે વ્યાપક અન્યાય થઈ રહ્યો છે. છતા ગુજરાત સરકાર દ્વારા નકલી કૌભાંડીઓને જેલની સજા કરાઈ હોય તેવુ જાણવા મળ્યુ નથી. ગુજરાતમા નકલી પી.એમ.ઓ. ઓફીસર, મંત્રીઓના નકલી પી.એ.દાહોદમા નકલી સરકારી કચેરી, નકલી સિંચાઈ કચેરી, નકલી ડૉકટરો, નકલી માર્કશીટ કૌભાંડ, નકલી ઘી, નકલી પોલીસ, નકલી ટોલનાકુ, નકલી શાળા, વિસનગરમા નકલી આદિવાસી વિદ્યાર્થી સ્કોલરશીપ કૌભાંડ અને હવે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચોટીયા ગામે ૭પ મા વન મહોત્સવમા નકલી તુલસીના છોડથી મહેમાનોનુ સ્વાગતનુ કૌભાંડ બહાર આવ્યુ છે. સ્વાગત કરાયેલ મહેમાનો એ ઘરે જઈને તુલસીનો છોડ વાવ્યો, સવાર સાંજ દિવા કર્યા, તુલસી સમજી પુજા કરી અને છોડ મોટો થતા જોવા મળ્યુ કે આતો કોઈ જંગલી છોડ છે. ખેરાલુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા સ્વાગત કરાયેલ મહેમાનને અપમાન થયાનો અહેસાસ થઈ રહ્યો છે.
ખેરાલુ તાલુકાના ૭પમા વન મહોત્સવનુ પ-૯-ર૦ર૪ ના દિવસે ગુરુવારે ચોટીયા ગામે આયોજન કરાયુ હતુ. આ આયોજન વિસ્તરણ રેન્જ કચેરી ખેરાલુ દ્વારા કરાયુ હતુ. પાટણ-સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, તાલુકા પંચાયત પ્રમુખ સહીત ડેલીગેટો તાલુકાના તમામ અધિકારીઓ સાથે વન વિભાગના અધિકારીઓ સાથે ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નકલી પી.એમ.ઓ.ઓફિસર, મંત્રીના નકલી પી.એ.દાહોદમા નકલી સરકારી કચેરી, નકલી સિંચાઈ કચેરી, નકલી ડૉકટરો, નકલી માર્કશીટ, નકલી પોલીસ, નકલી ટોલનાકુ નકલી શાળા, નકલી આદિવાસી વિદ્યાર્થીઓ પછી ફોરેસ્ટ વિભાગ દ્વારા નકલી તુલસીનો છોડથી લોકોનુ સ્વાગત
આ પ્રસંગે વન વિભાગ દ્વારા આમંત્રિણ મહાનુભાવો આગેવાનો અને ગ્રામજનોનુ તુલસીના છોડથી સ્વાગત કર્યુ હતુ. તમામ આગેવાનો હરખભેર પવિત્ર તુલસીનો છોડ સંભાળીને ઘર સુધી પહોંચતો કરી પોતાના ઘરના આંગણામા રોપ્યો હતો. પરંતુ પ્રચાર સાપ્તાહિકના પ્રતિનિધિ સુદાસણાના દશરથસિંહ પરમાર એક ભાજપના આગેવાનના ઘરે પહોચ્યા હતા. ત્યારે આંગણામા રોપેલા છોડ બાબતે પુછતા તેમણે જણાવ્યુ કે વન વિભાગ દ્વારા ૭પમા વન મહોત્સવમા તુલસીના છોડથી સ્વાગત કર્યુ હતુ પરંતુ તેને રોપીને માવજત કરતા આતો જંગલી વનસ્પતિનો છોડ નિકળ્યો છે. વન વિભાગના અધિકારીઓ કે જે વન્સ્પતિના જાણકાર છે તેમણે ભાજપના આગેવાનોને બેવકુફ બનાવ્યાનો અહેસાસ થાય છે. આ બાબતે ગહન વિચારીએ તો વન વિભાગ દ્વારા જે રોપા ઉછેરાય છે તે તમામ રોપા લોકો સુધી પહોચ્યા વગર પ્રાઈવેટ નર્સરીઓમા દર ચોમાસે પહોચે છે. એટલે દર વર્ષે મોટુ કૌભાંડ થાય છે. દર વર્ષે જંગલ ખાલુ ગુજરાત રાજ્યંમા કરોડો વૃક્ષોના રોપા ઉછેર છે છતા રાજ્યમા હરિયાળી કેમ જોવા મળતી નથી. જંગલો વધતા નથી તેનુ કારણ પણ વન વિભાગના કૌભાંડો કહી શકાય. ખેરાલુ- સતલાસણા તાલુકો પછાત તાલુકામા આવે છે. વન વિભાગ દ્વારા ખેડુતોને ફેન્સીંગમા સબસીડી અપાય છે. જેમા મોટા કૌભાંડની આશંકા છે. ખરેખર સરકારે વૃક્ષોની સાચી ગણત્રી કરાવે તો વન વિભાગની સાચી કામગીરીનો તાગ મેળવી શકાય. વન વિભાગના અધિકારી તુલસીનો છોડ છે કે જંગલી વનસ્પતિ છે તે ઓળખી ન શકતા હોય તેની ઉપર કાયદેસરના પગલા ભરાવવા જોઈએ. રાજ્યમાં અનેક નકલી કૌભાંડો સાથે વન વિભાગનુ નકલી તુલસીના છોડનુ કૌભાંડ પણ ખેરાલુ તાલુકામા ઉપસ્થિત થયુ છે. આવા કૌભાંડો ક્યાં સુધી ચાલશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts